Entertainment

શો પર પહોંચી પ્રિયંકા ચોપરા તો કપિલે પૂછ્યો કેવો સવાલ, કહ્યું- લગ્ન બાદ શું નિક…

By

October 04, 2019

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે સ્વસ્થ મન અને શરીર માટે સ્વચ્છતા હોવી જરૂી છે. તેમના આ વિચારને આગળ વધારી PM મોદીએ દેશમાં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી છે. જ્યારે દેશભરમાં ગાંધી જયંતિ હર્ષઉલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે ત્યારે જાણીએ ભારતના એક એવા ગામ વિશે જે સ્વચ્છતાની બાબતે એશિયામાં નંબર 1 છે. આ ગામ સંપૂર્ણ પળે સ્વચ્છ રહે છે.

મેઘાલયના પૂર્વના ખાસી હિલ્સ જિલ્લામાં એક ગામ આવેલું છે. જેનું નામ માવલ્યાન્નોંગ છે. આ ગામ તેના માતૃવંશ સમાજ અને એશિયાના સૌથી સ્વચ્છ ગામ તરીકે સુપ્રસિદ્ધ છે. આ ગામને ઈશ્વરનો બગીચા તરીકે પણ ઓળખાય છે. આ એશિયાનું સૌથી વધારે સ્વચ્છ ગામ છે. તેના માટે ગામને અનેક આંતરરાષ્ટ્રિય પુરસ્કાર પણ મળી ચુક્યા છે.

ઉલ્લેખનીય છે કે પણ છે કે અહીં સાક્ષરતા પણ 100 ટકા છે. ગામના મોટાભાગના લોકો ફાકટું અંગ્રેજી બોલી પણ શકે છે. ગામમાં અનેક સુંદર ઝરણાં આવેલા છે. આ ઉપરાંત માવલ્યાન્નોંગ લિવિંગ રુટ્સ બ્રિજ અને એક બૈલેંસિંગ રોકના કારણે પણ જાણીતું છે.

આ ગામમાં વધારાની વસ્તુઓ અને કચરાને વાંસની એક કચરાપેટીમાં નાંખવામાં આવે છે. પછી આ કચરાપેટીને એક ખાડો ખોદી તેમાં રાખીને તેમાંથી ખાતર પણ તૈયાર કરવામાં આવે છે. ગામમાં ઠેર ઠેર કચરો નાંખવા માટેની વાંસની કચરા પેટી પણ મુકવામાં આવી છે.