ISRO કાર્ટોસેટ-3 લોન્ચ કરી કેવો ઇતિહાસ સર્જશે, દુશ્મનોની હવે ખેર નથી, અંતરિક્ષમાંથી ભારત રાખશે બાર નજર…

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગનાઇઝેશન (ઇસરો) હવે 3 અર્થ ઑબ્ઝર્વેશન કે સર્વિલન્સ સેટેલાઇટ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. તેમાંથી એક 25મી નવેમ્બરના રોજ લોન્ચ કરાશે, જ્યારે બીજું બે ડિસેમ્બરના રોજ લોન્ચ કરવાના છે. આ સેટેલાઇટને બોર્ડર સિક્યોરિટી માટે ખૂબ જ મહત્વપૂર્ણ મનાય છે. જાણકારોનું કહેવું છે કે સરહદ સુરક્ષા માટે આ સેટેલાઇટ અંતરિક્ષમાં ભારતની આંખનું કામ કરશે. આ સિવાય PSLV ત્રણ પ્રાઇમરી સેટેલાઇટ, બે ડઝન વિદેશી નેનો અને માઇક્રો સેટેલાઇટ પણ લઇને જશે. PSLV C-47 રોકેટને શ્રીહરિકોટાથી 25મી નવેમ્બરના રોજ 9 કલાક 28 મિનિટ પર લોન્ચ કરવાનું છે. આ PSLV પોતાની સાથે થર્ડ જનરેશનનું અર્થ ઇમેજીંગ સેટેલાઇટ કાર્ટોસેટ-3 અને અમેરિકાના 13 કોમર્શિયલ સેટેલાઇટ લઇ જશે. ઇસરોનું કહેવું છે કે 13 અમેરિકન નેનોસેટેલાઇટ લોન્ચ કરવાની ડીલ પહેલાં જ તાજેતરમાં બનાવામાં આવેલા વ્યવસાયિક શાખા ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડે કરી હતી. કાર્ટોસેટ-3ને 509 કિલોમીટર ઑર્બિટમાં સ્થાપિત કરવાનું છે.

 

 

ત્યારબાદ ઇસરો બીજા બે સર્વિલાંસ સેટેલાઇટ લોન્ચ કરશે. રીસેટ-2બીઆર1 અને રીસેટ2બીઆર2. તેમણે પીએસએલવીસી48 અને સી49ની મદદથી ડિસેમ્બરમાં શ્રીહરિકોટાથી લોન્ચ કરવાના છે. આની પહેલાં એજન્સીએ 22મી મેના રોજ રીસેટ-2બી અને 1 એપ્રિલને ઇએમઆઇસેટ (શત્રુની રડાર પર નજર રાખવા માટે બનાવેલ સેટેલાઇટ) લોન્ચ કર્યા હતા. આ દરમ્યાન ચંદ્રયાન-2 મિશનના લીધે ઓપરેશનલ સેટેલાઇટના લોન્ચિંગમાં આટલો સમય લાગ્યો. ઇસરોના ઇતિહાસમાં પહેલી વખત એવું બનશે કે જ્યારે શ્રીહરિકોટાથી વર્ષમાં થયેલા તમામ સેટેલાઇટ લોન્ચ સૈન્ય ઉદ્દેશ્યથી થયા છે. કાર્ટોસેટ 3ની પહેલાં કાર્ટોસેટ 2 કરતાં ઘણી એડવાન્સડ છે. તેનું રિઝોલ્યુશન 0.25 કે 25 સેન્ટીમીટર સુધી (આ 25cm)ના અંતરથી અલગ બે વસ્તુઓને અલગ કરી શકે છે. આની પહેલાં લોન્ચ કરાયેલા સેટેલાઇટનું રિઝોલ્યુશન પાવર આટલો નહોતો.

(Visited 47 times, 1 visits today)