હું મારા પ્રેમ માટે દુનિયા સાથે પણ લડવા તૈયાર છું: તેજસ્વી પ્રકાશ

ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશનું કહેવું છે કે તેને પ્રેમમાં વિશ્વાસ છે અને તે જાત-ભાતમાં વિશ્વાસ નથી કરતી. તે જલ્દી જ નવા શો ‘કર્ણસંગિની’માં રાજકુમારી ઉર્વશીની ભૂમિકામાં જોવા મળે છે. આ ધારાવાહિક મહાભારતની પૃષ્ડભૂમિ પર આધારિત છે. આ ઉર્વશીની કહાની છે, જે અર્જુન ને છોડી સમુદાયથી હટી કર્ણને પસંદ કરે છે. તેજસ્વીએ કહ્યું, “ઉર્વશીની જેમ હું મારા પ્રમ માટે દુનિયા સાથે પણ લડવા તૈયાર છું.

તેજસ્વી પ્રકાશ આ સીરિયલ પહેલા ‘સ્વરાગિની’માં રાગિનીનો પણ રોલ પણ કરી ચૂકી છે. આ ભૂમિકાને લોકોએ ખુબ પસંદ કરી હતી. આ સીરિયલ પછી તેજસ્વી પ્રકાશને અનેક સીરિઝની ઑફર્સ પણ મળી હતી. ‘સ્વરાગિની’ માટે તેને બેસ્ટ અભિનેત્રી અને બેસ્ટ નેગેટિવ અભિનેત્રીનો એવોર્ડ પણ મળ્યો હતો.

 

ટીવીમાં તેજસ્વી પ્રકાશને સૂટ-સાડીમાં જ જોઈ હશે, પણ વાસ્તવિક જિંદગીમાં તે કંઈક અલગ જ છે. આ જુઓ તેની લાઈફ સ્ટાઈલ સાથે સંકળાયેલ તસવીરો

(Visited 443 times, 1 visits today)